અમદાવાદમાં ફરી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. અને તેમ સાવ નિર્દોષ માત્ર અઢી વર્ષની બાળકીને નરાધમે અપહરણ કરીને પીંખી નાખી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ શહેરના બોપલ આંબલી રોડ પર રામેશ્વર ફાર્મ નજીક મજુરી કામ કરતાં શ્રમજીવી પરિવારની બાળકી ત્રણ દિવસ પહેલાથી ગુમ હતી. આ બાળકી ઘર બહારથી ગુમ થઈ હતી. તેના પરિવારજનોએ આસપાસમાં શોધખોળ કરી પણ બાળકી મળી નહોતી. અંતે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ મામલે સરખેજ પોલીસે સીસીટીવી તેમજ અલગ અલગ જગ્યાએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકીનો કોઈ પત્તો મળ્યો નાં હતો. આ દરમિયાન બીજા વહેલી સવારે પાંચ વાગ્યે ઘર નજીક આવેલા ત્રણ રસ્તા પાસેથી બાળકી રડતી હાલતમાં મળી આવી હતી.
પોલીસે બાળકીની તપાસ કરતા તેની સાથે કંઈક અણછાજતી ઘટના બની હોવાની શંકા ગઈ હતી. અને પોલીસે બાળકીનું મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો. જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.