Rajkot/ પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિકનો ગળે ફાંસો ખાઈ આપઘાત

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિક હસમુખ પાંચાણીએ આજે વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

Gujarat Rajkot
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિક હસમુખ પાંચાણીએ આજે વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
  • રાજકોટ: રેસ્ટોરન્ટ માલિકનો આપઘાત
  • પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિકનો આપઘાત
  • હસમુખ ભાઈ પાંચાણીનો ગળેફાંસો ખાઇ આપઘાત
  • આપઘાતનું કારણ અકબંધ

રાજકોટ ખાતે એક વેપારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. જો કે આત્મહત્યા નું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.પરંતુ મંદીમાં આર્થિક સંકળામણને કારણે જીવન ટૂંકવ્યાની શક્યતા જોવાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિક હસમુખ પાંચાણીએ આજે વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. વહેલી સવારે તેમના પત્ની જગ્યા ત્યારે પતિને રૂમમાં નહીં જોતાં હોલમાં આવ્યા હતા.જ્યાં પતિનો મૃતદેહ પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. અને આ દર્શી જોઈ તેણી હચમચી ઉઠ્યા હતા. અને રોક્ક્ડ શરૂ  કરી હતી. અવાજ સાંભળી ઘરના અન્ય સભ્યો જાગી ગયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ આવી હતી. અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યાની હાલ શક્યતા સેવાઇ રહી છે. જોકે, આપઘાત પાછળનું સાચુ કારણ પોલીસ તપાસમાં જાણવા મળશે. હાલતો પોલીસે હસમુખભાઈના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હસમુખભાઇ પાંચાણી રાજકોટમાં ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસ નામે વર્ષોથી ધંધો કરતા હતા. ગોંડલ રોડ પરનું તેમનું પરોઠા હાઉસ વર્ષો જૂનું અને લોકોમાં જાણીતું છે.

Ukraine Crisis / એક સુંદર યોદ્ધા, જેના મૃત્યુ પર લોકો રડ્યા, સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી

બોધકથા / જ્યારે ઘુવડે વાંદરાને કહ્યું, દિવસ દરમિયાન તો ચંદ્ર ચમકે છે, પછી….