લોકડાઉન વચ્ચે અરવલ્લી અને પંચમહાલમાં આગની ઘટના સામે આવી છે. અરવલ્લીના શામળાજી મેશ્વો ડેમ પાસેના ડુંગરમાં આગ લાગવાની ઘટના બની હતી. આગથી વનરાજીને મોટું નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. વન વિભાગના કર્મચારીઓ આગથી અજાણ છે. સ્થાનિક યુવાનો દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો છે.
જો પંચમહાલની વાત કરવામાં આવે તો અહીં રેલવેના વર્ષોથી બંધ ગોડાઉનમાં આગ હતી. ગોધરા શહેરા ભાગોળ પાસે રેલવેના ગોડાઉનમાં આગ લાગી હતી. જો કે આગ ક્યા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. આગ લાગવાની જાણ થતા ગોધરા પાલિકાના 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા છે.ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.