ગુજરાત રાજયમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર પણ કોરોનને નાથવા માટે સતત પ્રયત્નશીલ છે. કોરોનાના કહેર વચ્ચે સુરત શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અંહી ધનવંતરી રથના પૈડાં થંભી ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતા ખાતે ધન્વંતરિ રત્ન પૈડાં થંભી ગયા છે. 53 દિવસથી ગાડીનું ભાડું ન ચૂકવવામાં આવતા રથ ચાલકો દ્વારા હડતાળ પાડવામાં આવી છે. જેને પગલે શહેરમાં ચાલતી 125થી વધુ ધનવંતરી રથના પૈડા અટકી ગયા છે. આ ધનવંતરી રથ કોન્ટ્રાક્ટ પર ચાલે છે. આ રત્ન પૈડાં થંભી જતાં હવે કોરોના ટેસ્ટિંગ કેવી રીતે કરવામાં આવશે. જ્યારે રાજ્યમાં કોરોના સતત બેકાબૂ બની રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.