અમદાવાદના દુધેશ્વર બ્રિઝ પરથી નીચે પડતુ મુકી યુવતીએ આપઘાત કર્યો છે. અસામાજિક તત્વો દ્વારા શારિરિક છેડછાડથી કંટાળી યુવતીએ આપધાત કર્યો હોવાનું બહાર આવ્યું છે.. તો બીજી તરફ પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે… યુવતીએ પોલીસમાં પણ આ મામલે રજુઆત કરી હતી.. છતા પોલીસે કોઇ કાર્યવાહી ન કરી.. અસામાજિક તત્વોના ડરથી યુવતી અને તેના પરિવારને બેઘર થવું પડ્યુ હતું. રખીયાલ પોલીસે યુવતીની ફરીયાદ નોંધવાનો પણ ઈનકાર કર્યો હતો. ન્યાય મેળવવા માટે યુવતીએ પોલીસ સ્ટેશનના ચક્કર લગાવ્યા હતા. પોલીસની આ પ્રકારની વર્તુણુકથી પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો, અને મૃતદેહ સ્વિકારવાનો ઈકનાકર કર્યો છે. આ ઘટના બાદ પોલીસે હવે આસપાસના લોકોની પુછપરછ કરી છે