અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુરના માનવમંદિર સામે આવેલા પાઇપ્સ એન્ડ પફ નામના હુક્કાબારમાં રેડ પાડવામાં આવતા હુક્કો પીતા 22 જેટલા યુવક અને યવતીઓ ઝડપાયા હતા. 22 પૈકી 11 યુવાનો,8 યુવતીઓ અને 3 માઇનોરનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં દારુ અને હુક્કબાર પ્રતિબંધ વિઘેયકને વધુ કડક જોગવાઇ સાથે પસાર કરવામાં આવ્યુ છે. ત્યારે તેમ છતા અમદાવાદમાં યુવાનો હુક્કા પીવે છે. આ હુક્કાબાર કોની રહેમન નજર હેઠળ ચાલે છે. તેમની સામે કેમ કોઇ પગલા લેવામાં નથી આવતા?