દરવર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથ યાત્રા અમદાવાદમાં નીકળે છે તેમની તડામાર તૈયારીઓ અગાઉથી થાય છે. આજે અખાત્રીજના દિવસથી મુહૂર્ત કરવામાં આવે છે. આ વર્ષે ભગવાન જગન્નાથજીની 143 મી રથયાત્રા યોજવાની હતી પરંતુ કોરોના વાયરસને પગલે હજુ રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
આજે અખાત્રીજના દિવસે રથનું પ્રથમ પૂજન કરવામાં આવે છે આજે ચંદન પૂજન કરી મુહૂર્ત કરવામાં આવે છે આજના દિવસે ચંદન પૂજનમાં હજારો ભક્તો જોડાતા હોઈ છે પરંતુ કોરોના મહામારીના પગેલ માત્ર ત્રણજ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સોસીયલ ડિસ્ટન્સ જાળવી આજે અખાત્રીજના દિવસે રથનું પ્રથમ પૂજન કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.