ગુજરાત માં કોરોના વાઇરસે ફેલાવેલા કહેર ને પગેલ ચાલી રહેલા લોકડાઉન માં સૈથી કફોડી હાલત પરપ્રાંતિયોની બની છે. હવે લોકડાઉન ના ત્રીજા તબક્કામાં આ પરપ્રાંતિયો વતન પરત ફરવા માટે રઘવાયા બન્યા છે. અને જદા જુદા જીલ્લામાં પરપ્રાંતિયો હોબાળો કરતા જોવા મળી રહ્યા છે. અને એકઠા થઈને વતન જવાની માંગ કરી રહ્યા છે. રાજકોટ સુરત બાદ હવે અમદાવાદમાં પણ પરપ્રાંતિય વતન જવાની માંગ હજારોની સંખ્યા પર રસ્તા પર ઉતરી આવ્યા છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સોનીની ચાલી પાસે આજે અંદાજે 3 હજાર જેટલાં પરપ્રાંતિય મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ઉમટી આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ લોકડાઉન ધજાગરા પણ ઉડ્યા હતા. વતન જવાની જીદે સોનીની ચાલી આગળ મોટી સંખ્યામાં શ્રમિકો ઉમટ્યા હતા. ત્યારે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. પોલીસે સ્પીકર પર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.