કેન્દ્ર સરકાર કોરોના વાયરસનાં કારણે લોકડાઉનમાં ફસાયેલા ભારતીઓને વિદેશથી પરત લાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. આ મિશન અંતર્ગત અમેરિકાનાં સેન ફ્રેન્સિસ્કોથી 225 ભારતીયોને લઇને એર ઇન્ડિયાનું પહેલું વિમાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યું છે. યુ.એસ.નાં સેન ફ્રેન્સિસ્કો શહેરથી 225 ભારતીયોને લઇને આ વિશેષ એર ઇન્ડિયા વિમાન સોમવારે વહેલી સવારે મુંબઈ પહોંચી ગયું હતું. વિદેશ પ્રધાન એસ જયશંકરે ખુદ ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
આપને જણાવી દઈએ કે, કોવિડ-19 ને કારણે અમેરિકામાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઠવાની કામગીરી કરવામાં આવી રહી છે. ન્યૂજર્સીથી મુંબઇ અને અમદાવાદ જવા રવાના થઈ છે, જે ટૂંક સમયમાં આવી જશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમેરિકામાં ફસાયેલા ભારતીઓને સ્વદેશ લાવા માટે અન્ય પાંચ ફ્લાઇટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
First Air India special flight from the US brings in 225 Indians from San Francisco to Mumbai: Dr S Jaishankar, External Affairs Minister #VandeBharatMission (File pic) pic.twitter.com/JA28atX24v
— ANI (@ANI) May 11, 2020