ગુજરાતમાં કોરોનાનાં વધતા સંક્રમણને કારણે તંત્ર પણ ગોટે ચળ્યું હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતનાં ખુણે ખુણે પહોંચેલો કોરોના કાળમુખો આકાર વિસ્તારી રહ્યો છે, ત્યારે આજે પણ પાટણ અને અરવલ્લી જીલ્લામાં નવા કેસને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. જી હા, અરવલ્લી અને પાટણ બને જીલ્લામાં કોરોનાનાં 3 -3 કેસ નવા સામે આવતા વધુ ચિંતાના સમાચાર આવી રહ્યા છે.
વાત કરવામાં આવે પાટણ જીલ્લાની તો આજે વધુ 3 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. અનલોક બાદ જિલ્લામાં કેસ વધી રહ્યા છે અને તંત્રની મુશ્કેલી પણ વધી રહી છે. પાટણની ધારપુર હોસ્પિટલનાં તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. તો ધોબી શેરીમાં રહેતા પુરૂષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સાથે જ મુરતુજામાં રહેતા 56 વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ જોવામા આવી રહ્યો છે. પાટણ શહેરમાં કોરોના પોઝિટિવનો આંક 65 પર પહોંચી ગયો છે. અને જીલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીનો આંક 142 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાનાં કારમે 13 લોકોનાં મોત થઈ ચુક્યા છે.
વાત કરવામાં આવે અરવલ્લી જીલ્લાની તો અહી પણ આવી જ ભયાવહ હાલત જોવામાં આવી રહી છે. આજે ફરી અરવલ્લીમાં વધુ ત્રણ કોરોનાના કેસ સામે આવતા ફફડાટ વ્યાપ્યો છે. મોડાસા શહેરમાં કોરોનાનો કેસ નોંધાયો છે. બલીયા એસ્ટેટ,આયેશાકરીમ સોસાયટીમાં કોરોનાનો કેસ ડિટેક્ટ થયો છે, તો આરાધના એપાર્ટમેન્ટમાં યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં અરવલ્લી જીલ્લામાં કુલ 186 કોરોના કેસ નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….