આનંદો સુરતીઓ…સુરત માટે ઉપરા છાપરી સારા સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા યુનીસેફ દ્વારા વિશ્વભરમા સુરત કોરોનાની કારમી પછડાટ માથી ફરી બેઠું થવામાં 4 થા ક્રમે હોવાની જાહેર કરવાનાં સમાચાર સામે આવ્યા, તો સાથે સાથે કારમી આર્થિક અસરો વેઠી રહેલ સુરતનાં હીરાઉદ્યોગ માટે ફરી એક સારા સમાચાર સામે આવી ગયા છે.
સુરતની શાન ગણાતા હીરા ઉદ્યોગનો ચળકાટ ફરી એક વખત વધશે. મુંબઇ સ્થિત ડાયમંડ કંપનીઓનું સુરત સ્થળાંતર કરવાનું વિચારી રહી હોવાની વિગતો સામે આવી રહી છે. 100 જેટલી કંપનીઓએ સુરતથી વેપાર શરૂ કર્યો છે. ડાયમંડ બુર્સનું સપનું સાકાર થતું જોવામાં આવી રહ્યું છે જોકે, સાચા અર્થમાં ડાયમંડ બુર્સનું સપનું સાકાર થવા માટે હજુ વધુ કંપની સુરત આવે તે જરુરી છે.
ડાયમંડ બુર્સ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટને કારણે પણ માર્ગ મોકળો થયો હોય તેવા સંકેતો જોવામાં આવી રહ્યા છે. પરંતુ કોરોનાને કારણે કંપનીઓની સુરત આવવાની ગતિ ધીમી પડી હતી જે હવે અનલોક 4 માં ફરી કંપનીઓ સુરત તરફ વળી હોવાનાં સંકેતો જોવાઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….