કચ્છ વિશે કહેવામાં આવે છે કે કચ્છડો બારે માસ અને આજ કહાવતને લોકો કચ્છમાં કઇ ગુનાહીત પ્રવૃતીનાં સંદર્ભમાં એમ પણ કહેતા જોવામાં આવે છે કે કચ્છ જો કાળો નાગ, બસ અમુક લેભાગુઓને આ બીજી સ્પેશિયલ કહેવત લાગુ પડે છે. જી હા, કચ્છમાંથી વધુ એક ધીરાણ કૌભાંડમાં સામે આવી રહ્યુ છે. અને કૌભાંડ પણ 5 – 10 લાખનું નહીં પણ અધધધ 24 કરોડ 64 લાખનું પ્રાથમીકતામાં જ હોવાનું સામે આવી રહ્યું છે.
જી હા, CID ક્રાઇમમાં કચ્છમાંથી વધુ એક ધીરાણ કૌભાંડમાં સામે આવતા ફરિયાદ પણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ભદ્રેશ ટ્રેડિંગ કોર્પોરેશનના ડાયરેક્ટર સામે ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વે 2013માં અમદાવાદની રત્નાકર બેંકમાંથી બનાવટી દસ્તાવેજો રજૂ કરીને 119 ખેડૂતોના નામે લોન લેવાઇ હતી. બહુચર્ચીત આ બેંક લોન કૌભાંડમાં અનેક મોટા માથાની સંડોવણી હોવની ભીતી પણ છે. આપને જણાવી દઇએ કે આ મામલે જ ભાજપના નેતા જયંતિ ઠક્કર સહિતનાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….