ગુજરાતે પૂર્વે વિનાશક ભૂકંપ જોઇ લીધો છે. ભૂંકપનાં એ દ્રશ્યો આજે પણ લોકોમાં કંપારી આણી દે છે. એવામાં પાછલા લાંબા દિવસોથી સૌરાષ્ટ્ર-કચ્છની ઘરા સતત ધ્રુજી રહી છે. સાપરમાં દિવસે જામનગર અને વિસાવદરમાં આંચકા બાદ ગઇ રાત્રે ફરી એક વખત જામનગર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
રાત્રે 12:15 વાગ્યે નોંધાયેલો ભૂકંપનાં આંચકની રિકટર સ્કેલ પર તીવ્રતા 2.2 જ હતી અને ભૂકંપનું કેન્દ્રબિંદુ ફરી પાછુ લાલપુરથી 21 કિમિ દૂર નોંધવામાં આવ્યું છે. સતત ભૂકંપના આંચકાના પગલે લોકોમાં ભય જોવામાં આવી રહ્યો છે.
આપને જણાવી દઇએ કે જામનગર અને ખાસ કરીને જીલ્લાનું લાલપુર અને તેની આસપાસનો વિસ્તાર એટલે વિશ્વની સૌથી મોટી ગ્રાસ રુટ ઓઇલ રિફાનરી જ્યા આવેલી છે તે વિસ્તાર – જી હા, રિલાયન્સ. વળી પાછુ બાજુમાં એસાર ઓઇલ રિફાઇનરી સાથે સિક્કા પાવર પ્લાન્ટ તો રિલાયન્સ અને એસારનાં પાવર પ્લાન્ટો પણ ખરા જ હો.
કરોડો લીટર ઓઇલ અને ઓઇલ પ્રોડક્ટસ સાથે કોલસો અને વિજળીનું આ ક્ષેત્ર. અહીં ભૂકંપ અને તેના દ્વારા વિખરાતો વિનાશ કલ્પનાની બહાર જ હોય નો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….