બુધવાર એટલે ગુજરાત માટે કેબિનેટ બેઠકનો દિવસ. કોરોનાનાં કારણે અમલી લાંબા લોકડાઉન બાદ આજે ફરી એક વખત ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. ગુજરાત કેબિનેટ બેઠક બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા બેઠકમાં થયેલ ચર્ચા બાબતનું નિવેદન સામે આવી રહ્યું છે.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જણાવ્યું કે, કોરોનાનાં આ કપરા કાળમાં કોરોના સામે લડવા અને પ્રજાની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે. બેઠકમાં કોરોના અંગે ચર્ચા થઇ છે. લોકોને પુરતી સારવાર મળે તેવી ચર્ચા થઇ છે. ગુજરાત સરકાર કોરોનાને કારણે થતા મૃત્યુ આંકમાં ઘટાડા માટે કટિબદ્ધ છે.
અમદાવાદમાં નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા મામલે સ્પષ્ટતા કરતા ગૃહમંત્રી પ્રદિપસિંહ જણાવ્યું કે, રથયાત્રા અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ નીકળે છે. આગામી રથયાત્રાને લઇને હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમદાવાદની વાત કરવામા આવે તો રથયાત્રા રૂટ પર 25 કન્ટેન્ટમેન્ટ ઝોન આવેલા છે. રથયાત્રાને કારણે ફરી કોરોના કેસ ન વધે તેનું ધ્યાન રખાશે. જો કે, તમામ અહેવાલનાં અભ્યાસ બાદ આ મામલે કોઇ નિર્ણય લેવાશે. અને નિર્ણય ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….