સુરતમાં વધતો કોરોનાનાં કહેર સામે તંત્રએ પણ હવે લડી લેવાનો ફેસલો કરી લીધો હોય તેવી રીતે કોરોનાને ઝેર કરવા સુરત તંત્ર દ્વારા કમર કસવાની સાથે સાથે કડક હાથે કામ લેવાનું પણ નક્કી કરી લેવામાં આવ્યું છે. કોરોનાનાં વધતા અને અવિરત કહેરને ઝેર કરવા માટે કોરોના સુપર સ્પ્રેડર સામે સુરત મનપા દ્વારા ઝુંબેશ શરુ કરી દેવામાં આવી છે.
કોરોનાનાં કહેરને ઝેર કરી લોકોના સ્વાસ્થ્યની કેર કરવા માટે સુરત મનપા દ્વારા આજે કેશિયર અને એકાઉન્ટીંગ સંસ્થાઓનું ચેકિંગ કરવામાં આવશે. તો સાથે સાથે 12 સપ્ટેમ્બરે કુરિયર અને ફૂડ ડિલિવરી સંસ્થાઓનું ચેકિંગ હાથધરવામાં આવશે. 13 સપ્ટેમ્બરે હેર સલૂન અને બ્યુટીફિકેશન સંસ્થાનું કોરોના ચેકિંગ કરાશે. 14 સપ્ટેમ્બરે ઓટો ગેરેજ ચલાવનારનું કોરોના ચેકિંગ કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….