પાસ કન્વીનર હાર્દિક પટેલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસની ફોર્મુલા સ્વીકાર્યા બાદ રાજ્યના ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. આ પરિષદને સંબોધતા પાસ કન્વીનર હાર્દિક પટેલ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પત્રકાર પરિષદમા સંબોધતા ઉપ-મુખ્યમંત્રીએ જણાવ્યું, કોંગ્રેસની સ્તિથી ત્રણ વાંદરા સમાન છે. અને હાર્દિકને સમાજને છેતરવાનો કોઈ અધિકાર નથી.
નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં પ્રહારો કરતા જણાવ્યું,
- કોંગ્રેસની હાલની સ્તિથી ત્રણ વાંદરા સમાન છે.
- હાર્દિકને સમાજને છેતરવાનો કોઈ અધિકાર નથી.
- સમાજે પાસને તાળા મારી દીધા છે.
- પાસને તાળા મારીને કોંગ્રેસમાં જોડાઈ જાવ.
- ટિકીટોની વહેંચણી મુદ્દે હાર્દિક અને કોંગ્રેસ વચ્ચે સાંઠ-ગાંઠ થઇ છે.
- પાટીદાર સમાજ આવા લોકોને માફ નહિ કરે.
- કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગયા.
- હાર્દિકને સમાજનો ટેમ્પરરી પ્રેમ મળ્યો છે.
- કોઈ પણ સંજોગોમાં અનામત ૫૦ થી વાઢી શકે તેમ નથી.
- મતદાન સુધી જ કોંગ્રેસને હાર્દિકની જરૂરત છે.
- હાર્દિકને મારી સલાહ છે, નિષ્ફળતામાંથી સલાહ લે.
- રાજસ્થાનમાં પણ ૫૦ ટકા થી વધુ અનામત પર સ્ટે આપ્યો છે.