કોરોનાનો કહેર રાજ્યમાં દિવસેને દિવસે વધતો અને પ્રસરતો પણ જોવામાં આવી રહ્યો છે. કોરોના સંપર્કથી ફેલાય છે એ નરી હકીકત છે. દેશમાં કોરોનાને રાકવા માટે લોકડાઉન અમલી છે અને લોકડાઉનનો આજે 30મો દિવસ છે. ગુજરાતમાં કોરોનાનો કહેર પ્રસરવામાં જે બાબત સૌથી વધુ જવાબદાર છે તે દિલ્હીમાં જમાતીઓની મુલાકાત અને ત્યાંથી કોરોનાનું સંક્રમણ ફેલાવવું, તો સાથે સાથે સમગ્ર મામલામાં છુપાય રહેવુ અને કોરોના સામેની લડાઇમા એક રીતે બાધા પહોંચાડવી. સરકાર દ્વારા લોકડાઉન હોવાની સાથે સાથે બહાર જવાની ના કહેવા છતા અમુક જમાતીઓ દિલ્હીની મુલાકાતે ગયા અને સામુહિક ધાર્મિક મેળાવવામાં ભાગ લીધો. ભાગ તો લીધો પરંતુ બાદમાં તંત્રને સહકાર પણ ન આપ્યો અને મેળાવડાની સંપૂર્ણ વિગતો છુપાવી કોરોનાને પોતાના જ સ્વજનો માટે સામેથી આમંત્રીત પણ કર્યો. બસ આવી જ બાબતોને લઇને બોટાદમાં પણ જમાતીઓની અટકાયત કરવામા આવી છે. ત્યારે આવો જોઇએ કે કેમ તંત્રએ ઘરપકડ કરવા માટે મજબૂર થવુ પડે છે. જ્યારે સરકાર દ્વારા કોઇ સૂચનો કરવામાં આવે છે ત્યારે શું તેનાથી સરકારને કોઇ ફાયદો થવાનો છે કે, સામાન્ય પ્રજાજનોને…..
જુઓ જાણીએ સંપૂર્ણ ઘટના વિશે મંતવ્ય ન્યૂઝના આ ખાસ અહેવાલનાં માધ્યમથી…..
લોક
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.