સમગ્ર વિશ્વ કોરોના વાયરસનાં ખતરનાકથી પીડાઇ રહ્યુ છે. ભારતમાં પણ તેનો ચેપ ઝડપથી વધી રહ્યો છે. દરમિયાન, સારા સમાચાર એ છે કે કોરોના વાયરસ દર્દીઓની સંભવિત સારવાર માટે એમડબ્લ્યૂની રસીનું સફળ ટ્રાયલ પૂર્ણ થયું છે. જો કે, હવે એઇમ્સ, દિલ્હી, ભોપાલ અને પીજીઆઈ ચંદીગઢનાં 40 દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસ સંબંધિત હજી સુધી કોઈ દવા જાહેર કરવામાં આવી નથી.
ચંદીગઢ પીજીઆઈએમઈઆરનાં ડાયરેક્ટર ડૉ.જગત રામે જણાવ્યું હતું કે, ‘એમડબ્લ્યૂ વેક્સીન‘ દવાનું સેફ્ટી ટ્રાયલ પૂર્ણ થઈ ગયુ છે. પરંતુ વાસ્તવિક પરીક્ષણ પીજીઆઈ ચંદીગઢ, એઇમ્સ-દિલ્હી અને એઈમ્સ ભોપાલ ખાતે 40 દર્દીઓ પર કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, ભૂતકાળમાં, સેન્ટ્રલ મેડિકલ અને ઔદ્યોગિક સંશોધન દ્વારા અધિકૃત એમડબ્લ્યૂ રસીનાં હ્યુમન ટ્રાયલને પીજીઆઈની એથિક્સ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
The safety trial of ‘Mw vaccine’ drug has been completed. But its actual trial will be conducted on 40 patients in PGI Chandigarh, AIIMS-Delhi and AIIMS Bhopal: Dr Jagat Ram, Director PGIMER, Chandigarh#COVID19 pic.twitter.com/NVHlL5e62o
— ANI (@ANI) May 3, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.