ઉતરપ્રદેશ
ઉતરપ્રદેશના કાસગંજમાં તિરંગ રેલીમાં બે પક્ષો વચ્ચે બબાલ થઈ ગઈ હતી બે પક્ષો આમનેસામને આવી ગયા હતાં આ ઝગડામાં એક વ્યક્તિની મોત થઇ ગઈ હતી તે પછી પુરા વિસ્તારમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ તિરંગા યાત્રા લઈને નીકળેલાં લોકો પર એક પક્ષે પથ્થરમારો કર્યો, જે પછી હિંસા ભડકી ગઈ હતી. આ ઝડપમાં ખુબ જ જોરદાર પથ્થરમારો થયો હતો. હાલત કાબુની બહાર નીકળી ગયા હતાં તેને કાબુમાં લાવવા માટે ભારી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.
આ ઝડપમાં ઘણાં લોકો ઘાયલ થયા હતાં. કેટલાક લોકોને પોલીસે તેમની ધરપકડ કરી હતી. ઘાયલોમાં એક ઘાયલ થયેલી વ્યક્તિની સારવાર દરમિયાન મોત થઇ ગઈ હતી.