આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૪૮ મી જયંતી છે. સત્ય અને અહિંસાના હિમાયતી ગાંધીજીને દેશ-વિદેશમાં શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને ભાજપના વરિષ્ટ નેતા અડવાણીજીએ પણ બાપુને આપી શ્રદ્ધાંજલિ આપી હતી.
જયારે આજે દેશના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનો પણ જન્મ દિવસ છે. તેઓ મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જવાહરલાલ નેહરુ પછી દેશના બીજા વડાપ્રધાન હતાં. લાલબહાદુર શાસ્ત્રીને પણ વિજયઘાટ પર શ્રધ્ધા- સુમન અર્પણ કરાયા હતા. ભારતના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને “જય જવાન જય કિસાન” સૂત્ર માટે દેશભરમાં યાદ કરવામાં આવે છે.