કેન્દ્ર સરકારે ઘઉં, કઠોળ અને દાળના લઘુતમ સપોર્ટ ભાવમાં વધારો કરીને ખેડૂતોને ખુબ રાહત આપી છે. મોંઘવારીના માર થી પરેશાન ખેડૂતોને ભાવવધારાના આ નિર્ણયથી થોડી રાહત મળી શકે છે. કેન્દ્ર સરકારે ઘઉં માટે લઘુતમ સપોર્ટ પ્રાઇસ (એમએસપી) વધારીને રૂ. 110 થી રૂ. 1735 પ્રતિ ક્વિંટલ ભાવ વધારો કર્યો હતો. જયારે કઠોળ અને દાળના એમએસપીમાં ક્વિંટલ રૂ. 200 નો વધારો થયો છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે આ પાકના ઉત્પાદનમાં વધારો કરવા અને ભાવમાં નિયંત્રણ રાખવા માટે આ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની આર્થિક બાબતોના કેબિનેટ કમિટીએ 2017-18 માટે સમગ્ર પાક માટેના એમએસપીને મંજૂરી આપી હતી. એમએસપી એ ભાવ છે જયારે સરકાર ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે ત્યારે લેવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેબિનેટે ઘઉંના એમએસપીમાં ક્વિન્ટલ દીઠ રૂ. 110 થી રૂ. 1735 નો વધારો કર્યો છે. ગયા વર્ષે તે રૂ. 1,625 ક્વિંટલ હતું. કઠોળ અને દાળની ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેના એમએસપીને પ્રત્યેક રૂ. 200 નો વધારો કરવામાં આવ્યો છે. અનુક્રમે નવો ભાવ રૂ. 4,200 અને રૂ. 4,150 પ્રતિ ક્વિંટલ હશે.