નવી દિલ્હીઃ વિવાદાસ્પદ ઘર્મ પ્રચારક ઝાકીર નાઇકના નજીકના અને ચીફ ફાઇનેંશિયલ ઓફિસર આમિર ગજધરે પ્રવક્તા નિર્દેશાલય (ઇડી) ના અધિકારીઓ સામે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આમિર ગજધરે પુછપરછમાં જણાવ્યું હતું કે, ઝાકીર નાઇકની એનજીઓ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પાસેથી ફંડ મેળવતો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર ગજધરે જણાવ્યું હતું કે, ઝાકીરની એનજીઓ આઇઆરએફના દાઉદ ઇબ્રાહિમ સાથે ઘણા નજીકના સંબંધ છે. ઝાકીરની એનજીઓ આઇએરએફ માટે પાકિસ્તાન અને દુબઇથી પણ ફંડિંગ થાય છે. ફંડિંગ માટે હવાલા ડીલર સુલ્તાન અહમદ વચેટીયા તરીકે રોલ ભજવતો હતો.