ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા એક ટ્વીટ કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી દ્વારા પોતાનાં ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે સત્યને પરેશન કરી શકાય છે પરાજીત નહીં – સત્યમેવ જયતે. મુખ્યમંત્રી દ્વારા આ મતલબના ટ્વીટમાં કોઇનુ પણ નામ લીધા વીના જ આ માર્મીક ટકોર કરી વિરોધીઓને ચૂટીયો ભરવામાં આવ્યો હોવાનું પ્રતિત થઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ ટ્વીટ મુખ્યમંત્રી દ્વારા રાજ્યનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંંહ ચુડાસમાનાં સંદર્ભમાં કરવામાં આવ્યું હતુ. આપને જણાવી દઇએ કે ગુજરાત હોઇકોર્ટ દ્વારા ધોળકા વિધાનસભાની 2017માં થયેલી ચૂંટણી રદ્દ કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો. જે હુકમ સુપ્રીમ કોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્રારા પડકારવામાં આવતા, સુપ્રીમે ગુજરાત હાઇકોર્ટના હુકમ પર સ્ટે આપતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માટે રાહતનાં સમાચાર આવ્યા હતા.
જાણો શુ છે, સમગ્ર ઘટનાચક્ર મંતવ્ય ન્યૂઝનાં ખાસ અહેવાલનાં માધ્યમથી…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….