જામનગરમાં આરોગ્યકર્મી પર હુમલાનો મામલો વધુ ઉગ્ર બન્યો છે અને 20 જેટલા આરોગ્યકર્મીઓએ રાજીનામા ધરી દીધા છે. મલ્ટી પર્પઝ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર્સનાં રાજીનામા આવી જતા ડોર ટુ ડોર સર્વે, દવા વિતરણ સહિતનાં અગત્યનાં કામો ઠપ્પ થઇ ગયા છે. મહાપાલિકાના આરોગ્ય કર્મચારીઓમાં દોડધામ કરતા જોવામાં આવી રહ્યા છે અને કોઇ પણ ભોગે તમામ આરોગ્ય કર્મીઓને મનાવી લેવા અને મામલાને થાડે પાડવા માટે મથામણ કરી રહ્યા છે. આ મામલે કમિશનર સહિતના અધિકારીઓએ મિટીંગ યોજી અને વિવાદની પટાવત કરવાની દિશામાં પગલા ભરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….