ચોમાસા દરમિયાન તળાવ, નદીમાં નવા નીર આવતા ન્હાવા જતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે..જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ લાખોટા તળાવમાં આજે હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા વિશાલ નામનો 15 વર્ષીય કિશોર પોતાના માતા-પિતા સાથે તળાવ ના પાછળ ના ભાગે કપડાં ધોવા માટે આવ્યો હતો. જે બાદ પિતા-પુત્રએ તળાવમાં ન્હાવા ડૂબકી મારી હતી, પરંતુ આ દરમિયાન તે ડૂબી ગયો હતો. જેને બચાવવા તેના પિતા મોરારજીભાઈએ પ્રયાસ કર્યો હતો, પરંતુ વિશાલ ને બચાવી શક્યા ન હતા.
વિશાલ તળાવમાં ડૂબતા બુમાબુમ થતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગ ને જાણ કરી હતી. ત્યારબાદ મનપાની ફાયર વિભાગ પહોંચે તે પહેલાં વિશાલ એ ડૂબી જવાથી જીવ ગુમાવ્યો હતો. જે બાદ ફાયર વિભાગે રેસ્ક્યુ કરી મૃતદેહ ને બહાર કાઢ્યો હતો.
માતા – પિતા ની સામે જ એક 15 વર્ષીય પુત્ર એ જીવ ગુમાવતા અનેક પરિવાર માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે. હાલ પુત્રના મૃત્યુ ને પગલે શ્રમિક પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું છે. બીજી બાજુ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ સહિત ની આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
સલમાન ખાન, મંતવ્ય ન્યુઝ, જામનગર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.