જુનાગઢ મનપાના ભાજપના નગરસેવકનું કોરોનાનાં કારણે મોત નીપજ્યાનાં દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, કોરોનાએ વધુ એક કોર્પોરેટરનો ભોગ લીધો છે. પ્રાપ્તા વિગતો પ્રમાણે જુનાગઢ મનપાના ભાજપના નગરસેવક અને સિંધી સમાજના આગેવાન રાજુભાઇ નંદવાણીનું કોરોનાનાં કારણે મોત નીપજ્યું છે.
જુનાગઢ મનપાના ભાજપના નગરસેવક નંદવાણીને કોરોનાની સારવાર માટે રાજકોટ કોવિડ – 19 હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, વિદિત વિગતો પ્રમાણે જુનાગઢ મનપાના ભાજપના નગરસેવક નંદવાણીને અન્ય બિમારીઓ પણ હોવાનું સામે આવ્યુ છે. વિદિત વાત છે કે, અન્ય બિમારી હોય અને દર્દીની ઉમર જો વધુ હોય તો કોરોનાનો ખતરો તે દર્દી માટે વધુ જોવામાં આવે છે. બસ આવા જ કારણો સાથે જુનાગઢ મનપાના ભાજપના નગરસેવક અને સિંધી સમાજના આગેવાન રાજુભાઇ નંદવાણીનું કોરોનાનાં કારણે મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….