કોરોનાની વેક્સિન અંગે માહિતી આપતા ફૂડ એન્ડ ડ્રગ્સના કમિશનર ડો એચ જે કોશિયા જણાવ્યું હતુ કે, કોરોનાકાળમાં અપાતાં ટોસિલિઝુમેબએ દેશ અને રાજ્યમાં કોરોના સામે લડવામાં કારગત નીવડ્યું છે. ડોક્ટરો કોરોનાના દર્દીની પરિસ્થિતિ જોઈને દર્દીને ઇન્જેક્શન આપે છે. પરંતુ કોરોના દર્દીઓ માટે ઇંજેક્શન માન્ય નહિ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ હકીકત એ છે કે, આ ઇન્જેક્શન થી અનેક લોકોને જીવનદાન મળ્યું છે. આઇસીએમઆર એ પણ માન્યતા આપેલી છે. રોસ કંપનીનું યુરોપમાં પરિણામ બરાબર નહી આવવાનું જણાવ્યું છે. તેની મેડિકલ ફિલ્ડ માં જાણકારી આપી છે. આજ ઇંજેક્શન થી આપણા દેશ માં દર્દીઓ ને સારવાર આપવામાં આવી છે.
મે મહિનામાં કોરોના માટે કોઈ દવા નહતી ત્યારે આપણે તેનો ઉપયોગ કર્યો હતો .અને તેના પરિણામ સારા આવ્યા હતા. બીજી દવાઓ ના આવે ત્યાં સુધી દર્દી ના હીત ને જોઈ ને તબીબ વાપરતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.