રાજ્યમાં હત્યાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અમદાવાદ બાદ હવે દેત્રોજના ચુંવાળ ડાંગરવા ગામની કેનાલમાંથી યુવકનો પથ્થર બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પ્રેમ પ્રકરણમાં હત્યા કરી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, દેત્રોજના ચુંવાળ ડાંગરવા ગામની કેનાલમાંથી માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર ગામના કરણસિંહ વિષ્ણુભા સોલંકીની પેટના ભાગે પથ્થર બાંધેલી હાલતમાં મૃતદેહ અમલી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી, સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી. તો બીજી તરફ પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મહત્વનું છે કે, યુવાનનાં શરીર પર લોહીના નિશાનો હતા જેને લઈ પરિવારજનોને કરણસિંહની હત્યા કરી લાશ કેનાલમાં નાખ્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, પુરાવા નાશ કરવા કરણસિંહના મૃતદેહને પથ્થર સાથે બાંધી કેનાલમાં ફેંકી દેવામાં આવે છે. પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનો પરિવારજનોએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.