સુરેન્દ્રનગર જીલ્લામાં અને આસપાસમાં ભારે વરસાદને કારણે ભાદર નદી તોફાની બની હોવાની વિગતો સામે આવી. જી હા, જીલ્લાનાં ધંધુકા – ફેદરા હાઇવે પર ભાદરનાં પાણી ફરી વળ્યાં અને ભાદરે શહેરનાં પ્લોટ વિસ્તારમાં પોતાનો એડ્ડો જમાવ્યો તેવી રીતે ભારે વરસાદનાં કારણે નદીનું વરસાદી પાણી તમામ વિસ્તારોમાં ફરી વળ્યું. ભાદરનાં પ્રકોપને કારણે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભાદરનાં ધસમસતા પાણીનાં કારણે ધંધુકા અમદાવાદ રોડ બંધ કરવામાં આવ્યો છે. રોડ બંધ કરતા વાહન વ્યહાર ઠપ્પ થઇ ગયો હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….