પાકિસ્તાનમાં ગમખ્વારરર વિમાન દુર્ઘટના ઘટી છે. લોહારથી કરાચી આવતી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની ફ્લાઇટ કરાચી એરપોર્ટ નજીક જ ક્રેશ થઈ ગઈ છે. શુક્રવારે કરાચીનાં જિન્ના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પાસે ફ્લાઇટ અકસ્માતગ્રસ્ત બની હતી. અને એરપોર્ટ પાસે જ આવેલી રહેણાંક વસાહત પાસે જ ક્રેશ થઇ હતી. પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
પાકિસ્તાનની જિયો ન્યૂઝ ચેનલ અનુસાર, ફ્લાઇટ ઝીણા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરતી વખતે ક્રેશ થઈ હતી. આ ફ્લાઇટમાં 100 થી વધુ મુસાફરો હતા. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર વિમાન ક્રેશ થયા બાદ ધુમાડો વધવા લાગ્યો હતો. કરાચીમાં રહેણાંક વિસ્તારમાં જ વિમાન અકસ્માત સર્જાતા 100થી વધુ લોકોનાં મોત થયા હોવાનું તો સાથે સાથે અનેક ઘાયલ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….