બનાસકાંઠામાં કોરોનાને લઈને લોકોમાં ભારે ભય જોવામાં આવી રહ્યો છે. જીલ્લામાં આજે એક જ દિવસમાં કોરોનાનાં કારણે બે લોકોના મોત નીપજતા લોકોમાં શોક અને ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે. જી હા, આજે બનાસકાંઠામાં 2 લોકોના કોરોનાનાં કારણે મોત થયા છે. ગઈકાલે આવેલા રીપોર્ટમાંથી પોઝિટિવ આવેલ દર્દીનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ વ્યક્તિનો કોરોના કાલે પોઝિટિવ આવતા હરીસિંહ ખુબચંદ યાદવ પાલનપુરની બનાસ કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. આ સાથે જ બીજી એક વ્ચક્તિનું પણ કોરોનાને કારણે મોત નીપજ્યું છે. હરીસિંહ ખુબચંદ યાદવ અને તુલસી લોહાણાના મોત સાથે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 12 લોકોના કોરોનાનાં કારણે મોત નીપજ્યાનુુ નોંધવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….