કેશોદ
કેશોદમાં મેધરાજા એ વિરામ આપતાં તંત્ર જાગ્યું છે. સાથે જ રોડમાં થીગડા મારી રોડ રીપેર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. કેશોદના માંગરોળ રોડ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આર સી.સી. રોડમાં ભારે વરસાદને કારણે ખાડા પડી જતાં.
આ રોડની હાલત કફોડી બની ગય હતી. ત્યારે મેઘરાજાએ હળવો વિરામ લેતા તંત્ર દ્વારા મેડલ નાંખી રોડ ઉપર ના ખાડા પુરવાનુ કામ પી ડબલ્યુ ડી તરફથી હાથ ઘરવામાં આવી હતી. તો બીજી તરફ થોડા સમય પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રોડની હાલત ખરાબ થઈ જતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
તંત્રને ચોમાસા પહેલા બીસ્માર રોડ રીપેર કરવા બાબતે રજુઆત કરાઈ હતી. છતા તંત્ર દ્વારા ચોમાસા પહેલા રોડ રીપેરનુ કામ ન કરવામાં આવ્યું ન હતુ.
હવે વરસાદના માહોલમાં રોડમાં થીગડા મારતા ફરીથી વરસાદ થશે ત્યારે ફરીથી રોડ હતો તે જ પરીસ્થિતી થઇ જશે. જેથી શહેરીજનો વાહનચાલકો રાહદારીઓ તથા વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષની લાગણી જોવા મળ્યું હતુ.