ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે અમદાવાદમા માણેકચોકમાં આવેલા વાસણ બજારમાં પણ 2 જેટલા કોરોના સંક્રમિતો મળી આવ્યા છે. જેને પગલે વાસણ બજારના વેપારીઓમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાસણ બજારમાં કોરોનના 20 જેટલા કેસ મળી આવતા બજારમાં વેપાર માટેનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે. હવે બજારો સાંજે આઠ વાગ્યાના બદલે છ વાગ્યે બંધ થશે.
નોધનીય છે કે, અહીં 300 જેટલી વાસણની નાની-મોટી દુકાન આવેલી છે. માંડવીની પોળ મેટલ મર્ચન્ટ એસોસિયેશનના ઉપ પ્રમુખે જણાવ્યુ હતુ કે માણેકચોકમાં ગીચતા હોય જ છે. રાજ્યભરમાંથી ગ્રાહકો આવે છે અને કોવિડ-19ની ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવે છે. માર્કેટ એસોસિએશને 22 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી બજાર વહેલા બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.