ગુજરાતમાં કોરોનાની દશા અને દિશા મુજવણ ઉભી કરે તેવી જોવામાં આવી રહી છે. અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરોમાં સંક્રમણનું પ્રમાણ જે હતું તેનીથી ઘટતુ જોવામાં આવી રહ્યુ છે, ત્યારે સુરત અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો જોવામાં આવી રહ્યો છે.
વાત કરવામાં આવે સૌરાષ્ટ્રનાં ભાવનગરની તો, ભાવનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતા અત્યાર સુધી જિલ્લામાં કોરોનાનાં કુલ 215 કેસ નોંધાયા હોવાનું સામે આવી રહ્યુ છે. શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા 49 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમરેલી જીલ્લામાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા છે. અમરેલીનાં લીલીયા રોડ વિસ્તારમાં રહેતા 45 વર્ષિય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જીલ્લાનાં સાવરકુંડલામાં 12 વર્ષિય કિશોરને કોરોના પોઝિટિવ આવ્યો, તો લુંધિયા ગામે 46 વર્ષિય પુરૂષને અને પાણીયા ગામે 55 વર્ષિય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….