international friendship day/ અહીં કૃષ્ણ અને સુદામાની નહી,અપ્પુ અને ચંદુભાઇની મિત્રતા જોઇ લોકો છે દંગ,મૃત મિત્રની પુજા કરે છે ચંદુભાઇ

જેતપુરના રહેવાસી ચંદુભાઈએ જેમની મિત્રતા જોઈ ને કૃષ્ણને પણ ઈર્ષા આવે.આજે ચંદુભાઈ પોતાના મિત્રને ભગવાન બનાવીને રોજ પૂજા કરે છે શું  જોઈ એ આજના ફ્રેન્ડશીપ ડે  ઉપર ખાસ રિપોર્ટ..

Gujarat Others
Untitled 64 2 અહીં કૃષ્ણ અને સુદામાની નહી,અપ્પુ અને ચંદુભાઇની મિત્રતા જોઇ લોકો છે દંગ,મૃત મિત્રની પુજા કરે છે ચંદુભાઇ

મિત્ર એવો શોધો કે ઢાલ સરીખો હોય.સુખમાં પાછળ પડી રહી અને દુઃખમાં સાથ આપે. આ કહેવત મિત્ર માટે છે.અને આને સાર્થક કરી છે.જેતપુરના રહેવાસી ચંદુભાઈએ જેમની મિત્રતા જોઈ ને કૃષ્ણને પણ ઈર્ષા આવે.આજે ચંદુભાઈ પોતાના મિત્રને ભગવાન બનાવીને રોજ પૂજા કરે છે શું  જોઈ એ આજના ફ્રેન્ડશીપ ડે  ઉપર ખાસ રિપોર્ટ..

આજે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે વિશ્વ ભરમાં મિત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આજના દિવસે મૂળ ભાવનગરના અને જેતપુરમાં સ્થાઈ થયેલ ચંદુભાઈ મકવાણાની તેના મિત્રની સાથે મિત્રતાની.રોજ સવારે તમે જેતપુરના સ્મશાનમાં જાવ અને જોવો એટલે ચંદુભાઈ એક મૂર્તિની પૂજા કરતા જોવા અને એ પછી જ ચંદુભાઈ તેનો રોજિંદા કર્યો અને ધંધા રોજગાર ઉપર જાય.

Untitled 64 3 અહીં કૃષ્ણ અને સુદામાની નહી,અપ્પુ અને ચંદુભાઇની મિત્રતા જોઇ લોકો છે દંગ,મૃત મિત્રની પુજા કરે છે ચંદુભાઇ

ચંદુભાઈ જે મૂર્તિ ની પૂજા કરે છે તે કોઈ ભગવાનની નથી.પરંતુ ચંદુભાઈ માટે તો તે મૂર્તિ ભગવાનથી ઓછી પણ નથી.તે મૂર્તિ છે ચંદુભાઈ ના દિગવંત મિત્ર અપ્પુની દિગવંત અપ્પુ એ ચંદુભાઈ નો બાળપણનો મિત્ર છે અને હાલ તે આ દુનિયામાં નથી..જ્યારે અપ્પુ જીવિત હતો ત્યારે ચંદુભાઈ અને અપ્પુ એક બીજા માટે દો જીસ્મ એક જાન હતા .ચંદુભાઈ ના સુખે સુખી અને ચંદુભાઈ ના દુખે દુઃખી એવી અપ્પુ ની મિત્રતા હતી.ચંદુભાઈ ની મુશ્કેલીમાં અપ્પુ હમેશા પહેલા ચંદુભાઈ બીમાર પડે તો અપ્પુ 24 કલાક સેવામાં હાજર આવી મિત્રતા જોઈને દરેક વ્યક્તિને ઈર્ષા થાય.અને એક દિવસ કોઈ અકસ્માતમાં આ જીગર જાન  મિત્ર અપ્પુ નું અવસાન થયું.અને આજે ચંદુભાઈ એકલા  થઈ ગયા.

Untitled 64 4 અહીં કૃષ્ણ અને સુદામાની નહી,અપ્પુ અને ચંદુભાઇની મિત્રતા જોઇ લોકો છે દંગ,મૃત મિત્રની પુજા કરે છે ચંદુભાઇ

મિત્રની મિત્રતા કાયમ અમર બનાવવા માટે ચંદુભાઈને કઈક કરવું હતું અને તેમણે પોતાના મિત્રની મૂર્તિને જેતપુરના સ્મશાન માં સ્થાપિત કરી દીધી.અને રોજ તેની પૂજા કરે છે.સાથે જ ચંદુ ભાઈ દ્વારા પશુ ઓને ઘાસચારો અને ઝૂંપડપટીમાં બાળકોને ચોકલેટ નું વિતરણ કર્યું હતું.

ચંદુભાઈ તેના દિગવંત મિત્રની  મૂર્તિને સ્મશાનમાં સ્થાપિત કર્યા બાદ પણ અટકતા નથી અને તેઓ એ મિત્રને અમર બનાવવા માટે તેવો એ પોતાના તમામ ધંધા અને વેપારનું નામ અપ્પુના નામ ઉપરથી શરૂ કર્યા છે જેમાં અપ્પુ કન્સ્ટ્રક્શન, અપ્પુ એન્ટરપાઈજ વગેરે.ધંધાકીય  સાહસો તો અપ્પુના નામે તો છે જ પણ  સાથે દિગવંત અપ્પુ ના નામે ધાર્મિક કર્યો દાન ધર્માદો વગેરે કર્યો કરવા તે ચંદુભાઈ ની દૈનિક ક્રિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ