આફતના વરસાદમાં જળમગ્ન થયેલા મુંબઇના દાદર સ્થિત શ્રી ગુરુ સિંહ સભા ગુરુદ્વારામાં કેટલાક લોકોને આશ્ચય આપ્યો હતો. આ ગુરુદ્ઘારામાં ન તો વરસાદમાં ફસાયેલા 750 લોકો રોકયા ઉપરથી તેમને લંગર પણ ખવડાવવામાં આવ્યું. આ લોકોને ગુરુદ્ઘારાના અલગ-અલગ પ્રાર્થના ઘરોમાં રાખવામાં આવ્યા હતા.
ગુરુદ્ઘારામાં આશ્ચય મેળવવામાં લોકોમાં ફ્રાન્સમાં પેરિસનો એક પરિવાર શામિલ હતો, જેમાં 5 સભ્યો છે. આ પરિવાર ઉદયપુરથી ઓરંગાબાદ પહોંચ્યો હતો અને ઓરંગાબાદમાં ટ્રેન કેન્સલ થયા બાદ મુંબઇમાં ફસાઇ ગયા હતા.આ લોકોને રોકાવવા માટે કોઇ હોટલ ન મળી અને તેમને નજીકના ગુરુદ્ઘારામાં રોકાવવાની સલાહ આપી હતી. ગુરુદ્ઘારા કમિટીના વી.પી. કુલવંત સિંહ જણાવ્યુ કે, 2 યુવકોએ લોકોએ તેમને અમારી પાસે મોકલ્યા, અમે તેમને સૂવા માટે પલંગ અને રહેવા માટે જગ્યા આપી હતી.