રાજ્યમાં લોકડાઉન ખુલ્લા બાદથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. એક તરફ કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો તો બીજી બાજુ અકસ્માતની ઘટનાઓ. આવામાં વધુ એક અકસ્માતની ઘટના મોરબીથી સામે અવી છે. માળિયા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ત્રણના મોત થયા હતા.
મળતી માહિતી અનુસાર, માળીયા હાઈવે પર ખાખરેચી ગામ નજીકથી પસાર થઇ રહેલ કાર પર કન્ટેનર પાછળનો ડબ્બો આખો ખાબક્યો હતો જેથી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો
અકસ્માત અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કારમાં ત્રણથી ચાર યુવાનો સવાર હતા જે રવાપર ગામના હોવાની માહિતી મળી છે તો અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવાનના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાની સુત્રોમાથી માહીતી મળી રહીસે બનાવની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સ ટીમો દોડી ગઈ છે અને બનાવની વધુ તપાસ ચલાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.