ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ની શૂટિંગ કરી રહેલા રણવીર સિંહ માટે તેમનું ‘પર્ફેકશન’ ભારી પડી ગયુ લાગે છે, કેમેક ‘પદ્માવતી’ના ચક્કરમાં રણવીર સિંહને 24 થપ્પડ ખાવા પડ્યા હતા અને આ વાત રણવીર સિંહે પોતે જણાવી હતી.
રણવીર સિંહને આ થપ્પડ સીનિયર એક્ટર રઝા મુરાદે માર્યા હતા. તમને જણાવી દઇએ કે, ‘પદ્માવતી’માં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સિવાય એક્ટર રઝા મુરાદને પણ સંજય લીલા ભણસાલીની સાથે ફિલ્મોની હેટ્રિક પૂરી કરી રહ્યા છે.