રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ જ નથી લઇ રહ્યું. જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ કોરોના પોઝિટીવ કેસમાં વધારો થતો જાય છે. સાથે સાથે કોરોનાથી મૃત્યુ પામનાર લોકોન સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આવમાં રાજકોટમાં વધુ બે કોરોના પોઝિટીવ દર્દીના મોત નીપજ્યાં છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે દર્દીના મોત નીપજ્યાં છે. મૃત્યુ પામનાર દર્દી ગોંડલ અને વઢવાણનાં હતા. આપને જણાવી દઈએ કે, રાજકોટમાં છેલ્લાં સપ્તાહથી કોરોનાથી મૃત્ય પામનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે. સતત કોરોના કેસ વધતાં તંત્રમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.