રાજકોટ,
રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે. જીવાદોરી સમાન આજી ડેમમાં પાણીની આવક થઇ. નર્મદા નીરથી ડેમ ભરવામાં આવ્યો. 23 ફૂટ સુધી ડેમમાં પાણી ભરવામાં આવ્યું. આજી ડેમની કુલ સપાટી 29 ફૂટ થયો. 6 મહિના સુધી નર્મદાના નીર ચાલશે. ત્યારે વલખાં મારતા રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.