કોરોનાનાં કપરા કાળમાં આમ તો અનેક પ્રવૃતિઓ બંધ છે, પરંતુ આવા સમયે જ રાજકોટમાં AAP પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીએ વિધિવત રીતે એન્ટ્રી મારી છે અને શહેર સંગઠનની રચના પણ કરી લીધી છે. રાજકોટ AAP દ્વારા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન રાજભા ઝાલા AAPનાં રાજકોટ શહેર પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા છે. આ સાથે સાથે 18 વોર્ડના ઇન્ચાર્જ હોદેદારોના નામ સહિતના નામની જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, શિવલાલ બારસિયાની રાજકોટ AAP શહેર ઉપપ્રમુખ પદે નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે આવનાર સમયમાં જ્યારે પણ રાજકોટમાં ચૂંટણી આવશે ત્યારે ત્રીપાખીયો જંગ જોવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….