મંત્રીના હોમટાઉન રાજકોટ ખાતે કોરોના વાઇરસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. જે સાથે જીલ્લાનો મૃત્યુ આંક 3 ઉપર પહોચ્યો છે. મુંબઈથી આવેલા એક વૃદ્ધ દિલીપભાઈ સંઘાણીનું 24 કલાકની ટૂંકી સારવારમાં જ નિધન થયું છે. મુંબઈથી આવ્યા બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વધુમાં આજે રાજકોટમાં વધુ ત્રણ નવા કેસ સામે આવ્યા છે. જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 53 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બે કેસ રાજકોટ ગ્રામ્યમાં નોંધાયા છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધી કોરોના કેસની સંખ્યા 81 પર પહોંચી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં 20 કેસ નોંધાયા છે. આમ સમગ્ર જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.