પાટણ,
પાટણના વઢિયારમાં પાણીની અછત વચ્ચે પાકને બચાવવા ખેડૂતોએ. કેનાલનું વહેતુ પાણી તળાવની જગ્યાએ ખેતરોમાં ભરી દીધું છે. તૂટેલી કેનાલનો દરવાજો ખોલીને પાણી ડાયવર્ટ કરીને ખેતરોમાં પાણી વાળી દીધા હતાં.
સમી તાલુકાના કનીજ ગામથી ૮૦૦ મીટરના અંતરે રાફુ બ્રાન્ચ કેનાલમાંથી દરવાજો ખોલ્યો હતો. ખેડૂતો કેનાલો બંધ થાયતો પાણી કામમાં આવે તેવા હેતુથી પોતાના ખેતરો પાણીથી ભર્યા હતાં.
ખેડૂતોએ પાકો બચાવવા જતાં હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. એક બાજુ અછતની પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે તો બીજી બાજુ હજારો લીટર પાણી ખેડૂતો જ વેડફી રહ્યા છે.