કોરોનાના કાળ દરમિયાન કોઇએ પ્રગતી કરીને કોરોનાને માત આપી હોય તો ખરા અર્થમાં રાજકોટ શહેરે આપી છે, તેવુ કહેવું જરા પણ આતીશયોક્તિ નહી કહેવાય. કારણે કે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ કોરોના પોઝિટિવ કેસ રાજકોટમાં સામે આવ્યો હતો. અને ઘીમે ઘીમે કરીને આજે રાજકોટની એવી સ્થિતિ છે કે, રાજકોટવાસીઓ માટે સૌથી સારા સમાચાર આવી રહ્યા છે અને તે છે, રાજકોટ ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ થવા તરફ આગળ વધ્યું છે.
જી હા રાજકોટમાં છેલ્લા ફક્ત 14 કોરોના પોઝિટિવ કેસ જ રહ્યા હતા. જે બાદમાં ફરી દર્દીઓ સાજા થતા અને રજા આવામાં આવતા ગઇ કાલે 9 કેસ રહ્યા હતા. તો આજે આ નવ કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી પણ 6 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આમ આજે 6 દર્દીને રજા આપવામાં આવતા હવે રાજકોટમાં હવે માત્ર 3 દર્દીઓ જ કોરોનાની સારવાર હેઠળ બાકી રહ્યા છે.
આમ રાજકોટમાં ડિસચાર્જ રેટ જોતા લાગી રહ્યું છે કે, જલ્દી જ સારવાર નીચે બાકી રહેલા 3 દર્દી પણ સાજા થશે અને તેમને પણ રજા આપવામાં આવતા રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ શૂન્ય થશે અને રાજકોટનો ગ્રીન ઝોનમાં પ્રવેશ પણ થશે. પાછલા બે દિવસથી રાજકોટમા કોઇ પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન.