વડોદરા,
વડોદરામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી જઈને આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી છે.
આપને જણાવીએ કે નાગરવાડા બ્રીજ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં પુઠા અને ભંગાર હોવાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું. આગ લાગી હોવાની જાણ થતાં જ લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. હાલ આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડના પ્રયાસ યથાવત્ છે.જોકે આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.