ગઈકાલે સર્જાયેલા ગોઝારા અકસ્માતની ઘટનાને હજુ 24 કલાક પણ નથી થયા કે આણંદમાંથી વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરમાં ST બસની ટક્કરે આવતા બે લોકોના કમકમાટીભર્યા નોટ નીજ્પ્યા છે. બાઇક સવાર બેલોકોને ST બસે અડફેટે લીધા હતા જેમાં બાઈક ચલાવી રહેલા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું જયારે બાળકનું સારવાર દરમીય મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે, બગોદરા-બાવળા હાઇવે પર શુક્રવારે બપોરના સમયે મીની ટ્રક રસ્તા પર પાર્ક કરેલા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જયારે બે લોકોના સારવાર દરમિયાન મોત થયું હતું. મીની ટ્રકમાં સવાર લોકો ચોટીલાથી દર્શન કરીને કપડવંજના સુણદા ગામ ખાતે જઇ રહ્યા હતા. મૃતકોમાંછ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા બગોદરા, બાવળા અને ચાંગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી લેવામાં આવ્યો હતો. આ અંગે બગોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..
આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ
આ પણ વાંચો:PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર
આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત