રાજકોટ જીલ્લાનાં ગોંડલમાં કોરોનાના વધુ બે કેસ નોંધાતા લોકોમાં ફફડાય જોવામાં આવી રહ્યો છે. અમદાવાદથી ગોંડલ આવેલ દંપતિને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ગોંડલનાં રાધાકૃષ્ણના રહેવાસી પતિ-પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે આ દંપતિના સંપર્કમાં આવનારને કોરોન્ટાઇન કરવાની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગોંડલમાં સૌ પ્રથમ કેસ SRP જવાનનો સામે આવ્યો હતો અને ત્યાર બાદ અક્ષરઘામમાંથી એક વૃદ્ધ દંપતિને કોરોનાનાં હોવાનું સામે આવ્યું હતું. આ ત્રણેય લોકો પણ અમદાવાદથી જ ગોંડલ આવેલા હતા. આજે ફરી ટ્રાવેલ્સ હિસ્ટ્રીવાળા બે લોકોને કોરોના આવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….