નવી દિલ્હીઃ દિલ્હી યૂનિવર્સિટીમાં દેશભક્તિ પર મંચેલા દંગલ વચ્ચે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિશ્વવિદ્યાલવયોમાં અસહમતિ અને ચર્ચાની સ્વતંત્રતા પર જોર આપ્યું હતું. રાષ્ટ્રપતિ ગુરુવારે કોચ્ચીમાં છઠા ક.એસ.રાજામોની મેમોરિયલ લેક્ચરમાં બોલી રહ્યા હતા. ત્યારે તેમણે આ વા કરી હતી.
પોતાના નિવેદનમાં પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે, ‘દેશમાં અસહિષ્ણુતા ભારતીયો માટે કોઇ જગ્યા ના હોવી જોઇએ વ્યાજબી ચર્ચા અને અસહમતી માટે જગ્યા હોવી જોઇએ. વિશ્વવિદ્યાલયોને અશાંતિના બદલે તાર્કિક ચર્ચાનો માહોલ બનાવવો જોઇએ.
રાષ્ટ્રપતિનું કહેવું છે કે, એવો કોઇ દેશ કે સમાજ સભ્ય ના હોય શકે કે જ્યાંના નાગરીક મહિલાઓ સાથે સારો વર્તન ના નકરતા હોય. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે ડીયૂના વિદ્યાર્થિની ગુરમેહર કૌરને એબીવીપીના વિરોધ બાદ સોશિયલ મીડિયા પર રેપની ધમકી મળી છે. રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર મહિલાઓ સાથે બર્બરતા સમગ્ર સભ્યતાની આત્માને ઘયલ કરવા જેવી છે. પ્રણવ મુખર્જી અનુસાર ફક્ત આપણું બંધારણ જ નહી પણ આપણી સંસ્કૃતિમાં પણ મહિલાઓને બરાબરી અને પૂજા કરવામાં આવે છે.