દેશભરમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે અને કોરોનાનાં કહેરને વધતે રોકવા માટે લોકડાઉન જ માત્ર ઉપાય છે તેવુ વિશ્વ ફલક પર જોવામાં આવી રહ્યું છે. ત્યારે ભારતમાં પણ છેલ્લા 66 દિવસથી લોકાડાઉન અમલી છે. અનિવાર્ય લોકડાઉનની સાથે સાથે અનેક ભય સ્થાનો પણ દેશભરમાં લાગુ થઇ ગયા તે પણ હકીકત છે. લોકો અટવાયા, ધંધો રોજગાર બંધ થયા જેવી અનેક સમસ્યા લોકડાઉને સર્જી છે.
કદાચ આવી જ કોઇ સમસ્યાને સુરતમાં એક યુવા વેપારીનો ભોગ લીધો છે. જી હા, સુરતમાં લોકડાઉને લીધો વધુ યુવકનો ભોગ લોવાયાો હોવાનું સામે આવી રહ્યું છે. એક 38 વર્ષીય વેપારી યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનું સામે આવી રહ્યું છે. સુરતનાં અડાજણ વિસ્તારના અભિનવ એપાર્ટમેન્ટમાંથી આ દુખદ ઘટના સામે આવી છે.
ટેકસટાઇલ માર્કેટમાં કાપડ વેપારીએ આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો હોવાનું તેનાં જ પરિવાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. 66 દિવસથી વેપાર ધંધો ઠપ્પ રહેતા આ વેપારી દ્વારા આ પગલુ ભર્યુ હોવાનો પરિવાર દાવો કરી રહ્યું છુ. કારણે કે પરિવાર દ્વારા જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણાં દિવસથી યુવક તણાવમાં રહેતો હતો અને આજ ખેચતાણનાં કારણે યુવકને મોત ખેંચી જવામાં સફળ રહ્યું છે. ઘટાનાની જાણ અડાજણ પોલીસને થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….