Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલમાં ભાજપ માટે પ્રચાર કર્યુ

હિમાચલમાં ચૂંટણીને લઇને જાહેરસભાઓનું આયોજન ભાજપ-કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ તરફથી સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હિમાચલ પ્રચાર કરવા પહોંચ્યા. જ્યાં તેમણે કાંગડા ખાતે રેલીને સંબોધન કર્યું હતુ. વડાપ્રધાને જનસભાને સંબોધન કરતાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે હિમાચલને લૂંટનારને ગાદી પરથી દૂર કરવાના છે. 9 તારીખે લૂટનારને […]

Top Stories
hqdefault વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલમાં ભાજપ માટે પ્રચાર કર્યુ

હિમાચલમાં ચૂંટણીને લઇને જાહેરસભાઓનું આયોજન ભાજપ-કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ તરફથી સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હિમાચલ પ્રચાર કરવા પહોંચ્યા. જ્યાં તેમણે કાંગડા ખાતે રેલીને સંબોધન કર્યું હતુ. વડાપ્રધાને જનસભાને સંબોધન કરતાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે હિમાચલને લૂંટનારને ગાદી પરથી દૂર કરવાના છે. 9 તારીખે લૂટનારને જવાબ આપવાનો છે. કોંગ્રેસ પાર્ટી લાફિંગ ક્લબ બની ગઇ છે. કોંગ્રેસના મુખ્યમંત્રી જામીન પર છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે 5 રાક્ષસ પાળેલા છે, 5 દાનવને હિમાચલમાંથી દૂર કરવાના છે.આ પાંચ દાનવ છે ખાણ માફિયા, વન માફિયા, ડ્રગ માફિયા, ટેન્ડર માફિયા અને ટ્રાન્સફર માફિયા. દેવ ભૂમિને દાનવથી મુક્ત કરવાના છે. ડ્રગ માફિયા વિરૂધ્ધ મત આપો. આ એટલા બધા શક્તિશાળી છે કે શિમલાની સરકાર તેમના સામે નાચવા મજબૂર છે. કોંગ્રેસે હિમાચલ પ્રદેશને બરબાદ કર્યું છે.